Posts

Showing posts from August, 2020

ભરૂચ ગોલ્ડનબ્રીજની જળ સપાટી 17 ફૂટે... કાંઠા વિસ્તારોના કિનારા ધોવાયા, 35 ગામોને એલર્ટ કરાયા, નર્મદા ડેમના 23 ગેટ ખોલી 3 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાયુ...

Image
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની જળ સપાટી માં સતત વધારો થતાં સવારથી ૨૩ દરવાજા ખોલી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો રહીશોને સાવચેત કરાયા હતા સતત પાણીની આવક નર્મદા નદીમાં થતાં નર્મદા નદી પુનઃ એકવાર તેના અસલ સ્વરૂપમાં માહિતી જોવા મળી રહી છે જેના કારણે પૂર્વ પટ્ટીના ગામોમાં નર્મદા કાંઠે રહેતા લોકોનું પણ સ્થળાંતર કરાયું છે તો ભરૂચના નિકોરા ગામના નર્મદા નર્મદા નદીમાં પાણીની સતત આવક થતાં કાંઠા વિસ્તારના કિનારાઓ નું ધોવાણ થવાના કારણેે ધસી રહી છે જેના કારણે ઉપર રહેતા લોકોના જીવનું જોખમ પણ ઉભું થઇ રહ્યું છે...  સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને ત્રણ લાખ ક્યુસેક કરતાં વધુ પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેના કારણે નર્મદા નદી કાંઠાના ગ્રામજનો તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે તો ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક ની ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાય લોકોનું સ્થળાંતર કરાયું છે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાય તો નર્મદાની જળ સપાટી વધવાની સંભાવનાને લઈ તંત્રએ મ...

ભરૂચમાંચાલુ ગાડીએ ફોન પર વાત કરનારને ઈ-મેમો ચલણ ઘરે, જાહેર માર્ગો ઉપર અડચણ રૂપ અડીંગો જમાવતા પશુપાલકો સામે પગલાં ક્યારે....??

Image
  ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં શાકભાજી માર્કેટ સહિત સતત રાહદારીઓ થી ધમધમતા વિસ્તારમાં આખલાઓ તોફાને ચઢી રહ્યા છે જેના કારણે વાહનચાલકો માં પણ ભયનો માહોલ ઉભો થયો છે તોફાને ચડતા આના કારણે વારંવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાઇ રહી છે પરંતુ આ સમગ્ર ઘટના પોલીસના સીસીટીવી કેમેરામાં કેદ કેમ નથી થતી તેવા પ્રશ્નો ઉભા થયા છે વાહનચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેના ઘરે ઈ મેમો ચલણ પહોંચાડવામાં આવે છે અને દંડ વસૂલવામાં આવે છે પરંતુ વાહનચાલકોને અડચણરૂપ અડીંગો જમાવતા આખલાઓ ના ન્યુસન્સ સામે પોલીસ ભરૂચ નગરપાલિકા કે જે તે વિભાગના અધિકારીઓને દંડ કેમ નથી કરતા તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે.. ભરૂચ જિલ્લામાં ઢોળોનું ન્યુસન્સ માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યું છે ત્યારે ભરૂચના તમામ જાહેર માર્ગો ઉપર સવારથી જ ડિવાઇડ કરો અને મુખ્ય માર્ગો ઉપર ધોળો અડીંગો જમાવતા હોય છે જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે પોલીસ દ્વારા હાલ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ મેમો ચલણ તેઓના ઘરે પહોંચાડવામાં આવ્યો છે અને દંડ વસૂલાયો છે પરંતુ ભરૂચના જાહેર માર્ગોઉપર અડીંગો જમાવતા ઢોરોના ત્રાસથી અકસ્માતનો ભો...

ભરૂચ જિલ્લામાં કોરોના શંકાસ્પદ 2 પોઝિટિવ 4 મળી 6 ના મોત, નવા 17 કોરોના પોઝિટિવ નોંધાયા...

Image
  ભરૂચ જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા કેટલાય દર્દીઓ દમ તોડી રહ્યા છે જેમાં ખાનગી હોસ્પિટલમાં શ્રી કુંજ રેસીડેન્સી અંકલેશ્વરના ૭૦ વર્ષીય મહિલાનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું તો સેવાશ્રમ ની એક ખાનગી હોસ્પિટલમાં ભરૂચના ગાયત્રી નગર ગુજરાત હાઉસિંગ બોર્ડની ૬૪ વર્ષીય મહિલાનું પણ શંકાસ્પદ મોત નીપજ્યું હતું તો અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા સાકાર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી ના ૭૩ વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું તો પાલેજ ના સી.એચ.સી હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા કપાસિયા હોલ પાલેજ ના ૮૮ વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું તો ભરૂચની પટેલ હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા શ્યામ રેસીડેન્સી અંદાડા અંકલેશ્વરના ૪૬ વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું તો ભરૂચ રંગ કુટીર બંગલોઝ સોસાયટી ના ૬૫ વર્ષીય દર્દીનું પણ કોરોના ની સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું ભરૂચ જિલ્લામાં કોરોના ની સારવાર લઈ રહેલા કેટલાય દર્દીઓ હોસ્પિટલમાં દમ તોડી રહ્યા છે ત્યારે હજુ પણ લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે.. તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં નવા ૧૭ કોરોના પોઝિટિવ દર્દીઓ નો...

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વીજ ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા 3 દિવસથી લાઈટો જનરેટર પર.....

Image
ભરૂચ સિવિલ હોસ્પીટલ હંમેશા વાદ વિવાદમાં રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રાન્સફોર્મર માં કોઈ કારણોસર ક્ષતિ સર્જાતા વીજ પુરવઠો ખોરવાયો છે જેના કારણે ભરૂચ સિવિલ હોસ્પીટલ હાલ જનરેટર ઉપર નિર્ભર છે અને છેલ્લા ત્રણ દિવસથી 75 હજાર ઉપરાંતનું ડીઝલ જનરેટર માં વાપરી નાખ્યું છે ગત મોડી રાત્રિએ જનરેટરમાં ડીઝલ પૂરૂ થઇ જવાના કારણે જનરેટરમાં ડીઝલ પુરવા માટે સિવિલ સર્જન ની સરકારી ગાડીની લાઈટના ઉજાસ વડે ડીઝલ પુરવામાં આવ્યો હતો જેના વિડિયો પણ સામે આવ્યા છે રોજ હજારો રૂપિયાનું ડીઝલ જનરેટરમાં વાપરવામાં આવી રહ્યું છે જેના 10 10 લિટર ના કેટલાક કેરબાઓ પણ  જનરેટર નજીકથી મળી આવ્યા છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફોર્મર ક્યારે શરૂ થશે તેની કોઈ માહિતી નથી એટલે હાલ તો ભરૂચ સિવિલ હોસ્પીટલ જનરેટર ઉપર નિર્ભર થઈ રહ્યું છે અને વારંવાર ડીઝલ પૂરું થઈ જવાના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જતા ડાયાલિસિસ ના દર્દીઓ અને કોવિડ હોસ્પિટલ ના દર્દીઓની હાલત અત્યંત કફોડી બની રહી છે...  

ભરૂચ નર્મદા નદીમાં દરિયાઈ ભરતીના પગલે નર્મદા બે કાંઠે, ખેતરો પણ પાણી ફરી વળતા ખેડૂતોને ખેતીમાં નુકશાન....

Image
  ભરૂચ જીલ્લા ની ભાગોળ માંથી વહેતી નર્મદા નદી તેના અસલ સ્વરૂપ માં વહેતી રહી છે.ત્યારે દરિયાઈ ભરતી ના પાણી નર્મદા માં ભરતા નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે અનેક કાંઠા વિસ્તાર ના ખેતરો પણ પાણી ફરી વળતા ખેડૂતો ને ખેતી માં નુકશાન ભોગવવાનો વાળો આવ્યો છે. દરિયાઈ ભરતી ના પાણી ઝનોર સુધી પહોંચતા હોય છે.ત્યારે ગત વર્ષે નર્મદા નદી માં પુર ની સ્થિતિ આવ્યા બાદ નર્મદા નદી સતત એક વર્ષ થી તેના અસલ સ્વરૂપ માં વહેતી થઈ છે.જેના કારણે દરિયાઈ ભરતી ના પાણી ના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.ત્યારે આજે દરિયા માં મોટી ભરતી આવતા પાણી નો મોટી સંખ્યા માં પ્રવાહ નર્મદા નદી માં આવતા ની સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે કાંઠા વિસ્તાર ના ખેતરો માં પણ પાણી ફરી વળ્યા છે.તો નર્મદા નદી બે કાંઠે વહેતી થતા માછીમારો પણ માછીમારી કરવામાં મગ્ન બન્યા હતા.નદી બે કાંઠે વહેતી થતા લોકો પણ નજારો જોવા ઉમટી રહ્યા છે.

ભરૂચમાં શ્રીજી ઉત્સવમાં આત્મનિર્ભરની થીમે જમાવ્યું આકર્ષણ નું કેન્દ્ર, આત્મનિર્ભર શ્રીજીની થીમમાં ૭ જેટલી શ્રીજીની પ્રતિમાઓ....

Image
  ભરૂચ ની લાઇબ્રેરી ખાતે આત્મનિર્ભર ઉપર તૈયાર કરાયેલી થીમોની તમામ પ્રતિમા માટીની.... શ્રીજીની માટીની પ્રતિમાઓનું વિસર્જન કરવા લાઈબ્રેરી સંકુલમાં જ જળકુંડ ઊભું કરાયું... કે. જે. ચોકસી પબ્લિક લાઇબ્રેરી દ્વારા અન્ય ગણેશ યુવક મંડળો અને ઘરમાં જ શ્રીજીનું વિસર્જન કરવા અનોખી અપીલ.... ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારી ના કારણે અનેક ધાર્મિક તહેવારો ઉપર રોક લાગી ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ પણ ફિક્કો પડી ગયો છે ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ ધૂમધામપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી ના પગલે જિલ્લા વહીવટીતંત્રએ ડેકોરેશન, જાહેરપંડાલલો ઊભા ન કરવા સહિતનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ ફીક્કો પડી ગયો છે ત્યારે સરકાર દ્વારા પણ આત્મનિર્ભર બનો તેઓ સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે ક્યારે ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને તેમાં પણ શ્રીજી ની તમામ પ્રતિમાઓ માટીમાંથી બનાવવામાં આવી છે અને "આત્મનિર્ભર બનો" ની થીમ ઉપર અનોખો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે, આત્મનિર્ભર બનો ની થીમમાં માટીની સાત જેટલી શ્રીજ...

કોરોનાવાયરસ ની મહામારી માં લોકોની ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક સામગ્રીમાંથી શ્રીજી બનાવી પાણીમાં વિસર્જન કરી પાણીનું વિતરણ કરાયું....

Image
  ભરૂચના મકતમપુર વિસ્તારમાં આંગન એપાર્ટમેન્ટ માં એક પરિવારે કોરોનાની મહામારી ના સમયે લોકોની ઇમ્યુનિટી ની ચિંતા કરી આયુર્વેદિક સામગ્રીમાંથી ગણપતિ બનાવી દોઢ દિવસ માટે સ્થાપના કરી તેને ઘરમાં જ વિસર્જન કરી તે પાણીનું લોકોને વિતરણ કરી અનોખી રીતે શ્રીજી ભક્તિ ના દર્શન કરાવ્યા છે... ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલા આંગન એપાર્ટમેન્ટ માં રહેતા ખુશ્બુબેન પંડ્યા ના પરિવારે પોતાના ઘરમાં કોરોનાની મહામારી ના સમયે પણ ઇકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા આયુર્વેદિક સામગ્રીમાંથી બનાવી હતી જેમાં હળદ સૂંઢ પાવડર લવિંગ મરી એલચી સહિતની જડીબુટ્ટીઓ ના પાવડર માંથી શ્રીજીની પ્રતિમા બનાવી તેને સ્થાપિત કરી દોઢ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ઘરમાં જ તે શ્રીજીનું વિસર્જન કરી વિસર્જન કરાયેલા પાણી ભક્તોને પ્રસાદીરૂપે વિતરણ કરી ભક્તોની ઇમ્યુનિટી માં વધારો થાય તેવો અનોખો પ્રયાસ કર્યો છે ત્યારે અન્ય શ્રીજી ભક્તો માટે પણ પ્રેરણારૂપ છે....

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ 4 દર્દીઓના મોત, નવા 19 પોઝિટિવ નોંધાયા...

Image
  ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વકરી રહ્યું છે અને સારવાર લઈ રહેલા કેટલાય દર્દીઓ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આજે પણ ભરૂચની ત્રણ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ ચાર દર્દીઓના મોત નિપજ્યા હતા જેમાં ભરૂચની પટેલ હોસ્પિટલમાં વાગરા તાલુકાના ગામના 56 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું, તો ભરૂચના ફલશ્રુતિ નગરની ખાનગી હોસ્પિટલમાં ભરૂચના સિધ્ધનાથ નગરના 72 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું જ્યારે આ જ હોસ્પિટલમાં ભરૂચની કૃષ્ણનગર સોસાયટી ના 64  વર્ષીય  દર્દીનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.. તો ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ માં પત્નીના મૃત્યુ બાદ પુષ્પા બાગ બળેલી ખો વિસ્તારમાં રહેતા 56 વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું જેના કારણે ભરૂચ જિલ્લામાં આજરોજ કોરોના પોઝિટિવ ૪ દર્દીઓ ના મોત નિપજયા હતા જ્યારે નવા 19 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા જેમાં અંકલેશ્વર 10, ભરૂચ 6, આમોદ 1, જંબુસર 1, ઝઘડિયા 1 મળી કુલ 19 પોઝિટિવ નોંધાયા હતા, જેના પગલે ભરૂચ જિલ્લાનો કોરોના પોઝિટિવનો આંકડો 1231 ઉપર પહોંચી ગયો છે ત્યારે હજુ પણ લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે નહીંતર આવનારા સમ...

ભરૂચમાં સલ્મ વિસ્તારમાં કથા માત્ર રૂ. 11માં કરાવતા ભૂદેવો, કોરોનાની મહામારીમાં પણ મંદિર સંકુલમાં કથાઓ કરાવી....

Image
  શ્રાવણ માસએ ધાર્મિક અને પવિત્ર માસ ગણાય છે અને આ માસ દરમ્યાન અનેક ધાર્મિક વિધિઓમાં સત્યનારાયણ કથાનું અનેરું મહાત્મ્ય રહેલું છે.જેમાં સલ્મ વિસ્તારના લોકો આ કથાનો ખર્ચ 3000 થી 3500 થતો હોવાના પગલે કરાવી શકતા નથી.જેના પગલે ભરૂચના મક્તમપુર સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા દર શ્રાવણ માસમાં જરૂરિયાતમંદ સલ્મ વિસ્તારમાં જઈ દિવસ દીઠ બે કથા માત્ર રૂપિયા 11 માં કરાવી એક ઉત્તમ ઉદારહણ પૂરું પાડી રહ્યા છે.ત્યારે કોરોનાની મહામારીના સમયે પણ મંદિર સંચાલકોએ ભગવાન સત્યનારાયણની કથા સંકુલમાં કરાવી હતી. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલું સિદ્ધિ વિનાયક મંદિર ભક્તો અને ગ્રામજનો માટે એક આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરે દર મંગળવારે ભક્તો દર્શન અર્થે ઉમટી રહ્યા છે.ત્યારે કોરોનાની મહામારીના કારણે શ્રદ્ધાળુઓની સુરક્ષાના ભાગરૂપે મંદિરમાં આવતા ભક્તોનું ટેમ્પરેચર અને સેનિટાઈઝર કરવા સાથે ભક્તો ની નામો ની નોંધ કર્યા બાદ તેઓ ને મંદિરમાં દર્શન કરવા દેવા સાથે મંદિરને પણ દિવસમાં બે વાર સેનિટાઈઝર કરવામાં આવે છે. ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા છેલ્લા 15 વર્ષ થી દર શ્રાવણ માસમાં દિવસ દીઠ સલ્મ વિસ્તારોમાં જઈ માત્ર રૂપિ...

ભરૂચના ગાંધીબજારની ખુલ્લી ગટરો રાહદારીઓ માટે જીવલેણ, વાયરલ વિડિઓ ભરૂચ નગરપાલિકા માટે શરમજનક...

Image
  ભરૂચ નગર પાલિકા હરહમેંશા વિવાદ માં રહ્યું છે.ત્યારે ભરૂચ ના ગાંધીબજાર ની ખુલ્લી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ બની રહ્યા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ ખુલ્લી ગટર માં ખાબકી રહ્યા હોવાના વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ પણ પાલિકા કુંભકર્ણ ની નિંદ્રા માં રહેતા સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે.. ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ ફાટાતળાવ થી ચાર રસ્તા સહીત ગાંધીબજાર ના જાહેરમાર્ગો ઉપર ની ખુલ્લી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ બની રહી છે અને વાહનચાલકો અને રાહદારીઓ જાહેરમાર્ગો ઉપર ભરાયેલા વરસાદી પાણી માં ખુલ્લી ગટર નજરે ન ચઢતા અનેક લોકો ખુલ્લી ગટર માં ખાબકી રહ્યા છે.જેમાં એક મોટર સાયકલ ચાલક પોતાની મોટર સાયકલ સાથે ખાબકી ગયો હતો.જયારે આજ રોડ ઉપર ખુલ્લી ગટરમાં સાયકલ ચાલક પોતાની સાયકલ લઈ ત્યાંથી પસાર થતી વેળા ખુલ્લી ગટર માં ખાબકી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે.તો આજ ખુલ્લી ગટર પાસે થી પસાર થતી એક બાળકી પણ ખુલ્લી ગટર માં ખાબકી રહી છે.જેને આસપાસ ના લોકો દોડી આવી સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા હોવાના વિડીયો પણ સામે આવ્યો છે.ત્યારે ફાટાતળાવ થી ચાર રસ્તા સુધી ના માર્ગો ...

ભરૂચની APMCમાં કિન્નાખોરી રાખી આગ લગાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરીએ હોબાળા મચાવશે....

Image
  ભરૂચના મંહમદપુરા એપીએમસી ખાતે એક દુકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક સાથે 15 જેટલી દુકાનોમાં આગ પ્રસરી જતા આગમાં સમગ્ર શાકભાજી અને ફળ ફ્રૂટ બળીને ખાખ થઇ જવા પામ્યું હતું એ છે કે મહંમદપુરા એપીએમસી બપોર બાદ સદંતર બંધ હોય છે ત્યારે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે વેપારીઓએ પણ આક્ષેપ કર્યા હતા કે દુકાનમાં આગ લગાડવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે જોકે મંહમદપુરા એપીએમસીમાં દુકાનોની અંદર લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા વાદળોમાં છવાઇ જતાં લોકોએ વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કર્યા હતા એપીએમસીમાં આગ લાગી હોવાની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ લેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ આગ એટલી ભયંકર હતી કે આગને કાબુમાં લેતા ચાર કલાકનો સમયગાળો લાગી ગયો હતો આગ લાગવાની ઘટનાને પગલે દુકાનદારોએ પણ દોડી આવી આંગમાં રહેલો માલ સામાન બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા.. મંહમદપુરા એપીએમસીમાં આગ લાગવાની ઘટના પગલે જીઈબી કંપનીના અધિકારીઓ પણ દોડી આવ...

ભરૂચ જિલ્લામાં મૂશળધાર વરસાદ નદી-નાળા-તળાવ ઊભરાયા, અનેક ગામોના મકાનોમાં ભરાયા પાણી, પશુપાલકોની હાલત કફોડી....

Image
ભરૂચ જીલ્લા ના વિવિધ તાલુકાઓ માં ધોધમાર વરસાદ વરસવા ના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો તથા ગામોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. જેમાં ભરૂચ જીલ્લાના આમોદ- જંબુસર તાલુકાઓ માં વરસાદી પાણી એ લોકો ના હાલ બેહાલ કર્યા છે.જંબુસર ના રામપુર ગામે તથા અન્ય ગામો માં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે પશુપાલકો ના પશુઓ પાણી માં ગરકાવ થઈ જતા પશુપાલકો ની હાલત કફોડી બની છે. ત્યારે ભરૂચ જીલ્લા માં વરસાદ યથાવત રહ્યો છે. ભરૂચ માં પણ ચાર રસ્તા, ફાટાતળાવ સહીત ના અનેક જાહેરમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા જાહેરમાર્ગો ઉપર રહેલી ખુલ્લી ગટરો માં વાહનો ખાબકી રહ્યા છે. ત્યારે કેટલાય વાહન ચાલકો જીવ ના જોખમે પણ મુખ્ય માર્ગો ઉપર ભરાયેલા વરસાદી પાણી માંથી પસાર થઈ રહ્યા છે.. ભરૂચ જીલ્લા માં સતત વરસી રહેલા વરસાદ ના પગલે જર્જરિત ઈમારતો ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે જંબુસર શહેર ના કપાસિયાપુરા વિસ્તાર માં આવેલી બે માળ ની જર્જરિત ઈમારત વરસાદી પાણી માં ધોવાણ થવાના કારણે મોડી રાત્રી એ અચાનક ધડાકા સાથે ધસી પાડતા આસપાસ ના રહીશો ઈમારત ધસી પડવાના કારણે ઘરતીકંપ નો અહેસાસ થતા બહાર નીકળી પડતા ઈમારત ધસી પડવાનું સામે આવતા હાશક...

ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર પોતાના જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે : સેજલ દેસાઈ

Image
  જીલ્લાકક્ષા નો ધ્વજ વંદન નો કાર્યક્રમ શું ૨૦ લોકો ની હાજરી માં ન થઈ શકે?અને મોટી સંખ્યા માં લોકો ને એકત્રિત કરી ધ્વજવંદન કરવામાં આવશે અને કોરોના ફેલાશે તો જવાબદાર કોણ?પરંતુ જે રીતે જીલ્લા વહીવટી તંત્ર નો જાહેરનામાનો ભંગ સરકાર ના અધિકારીઓ કરી રહ્યા છે.તે કાયદા ની વિરુદ્ધ છે.કાયદો માત્ર પ્રજા માટે નથી.જેથી જીલ્લા કક્ષા નો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવો હોય તો ૨૦ લોકો ઉપસ્થિત રહી ધ્વજ વંદન કરી શકે તેમ છે તેમ જણાવી કલેકટર ને રજૂઆત કરી હતી. કલેકટર ને સુપ્રત કરેલા આવેદનપત્ર માં રજૂઆત કરાઈ હતી કે તાજેતર માં ચાલી રહેલી કોરોના મહામારીમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ઉત્સવ 15 ઓગષ્ટની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કરવાનું આયોજન હાથ ધરાયુ છે તે અત્યંત ખેદ જનક છે.હાલ કોરોના સંક્રમણમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.હોસ્ટેલ ગ્રાઉન્ડના સરાઉન્ડિંગ એરિયામાં જ કોરોનામાં મોત થયેલા છે.સેવાશ્રમ કોવિડ હોસ્પિટલ અહીં આવેલી છે.આસપાસના વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓ પણ છે.રોજ વધતા જતા કોરોના પોઝિટિવ કેસોના પગલે લોકોમાં ભયનો માહોલ છે.પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થાય,કોરોના વાયરસનું સંક...

કોરોનાના ભય વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા તડામાર તૈયારી, જયારે ધાર્મિક તહેવારો ઉપર કોરોનાનું ગ્રહણ, પ્રતિબંધિત જાહેરનામું...

Image
ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને સારવાર લઈ રહેલા દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા જીલ્લા વહીવટી તંત્ર કમરકસી રહ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે શ્રાવણ માસ ના તમામ ધાર્મિક તહેવારો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર એ પ્રસિદ્ધ કર્યું છે.જેના કારણે છેલ્લા 250 વર્ષ થી ઉજવાતો મેઘમેળો બંધ છે. છડી ઉત્સવ બંધ છે.જેવા અનેક મેળા અને મેળાવડા ઉપર રોક લગાવી દેવાઈ છે.ત્યારે આવા સંજોગો માં ભરૂચ શહેર માં અને સતત લોકો થી ભરચક વિસ્તાર અને શહેર ની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર 15 ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ ની જીલ્લાકક્ષા ની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે શું હવે કોરોના વધુ નહિ વકરે જેવા અનેક સવાલો ને લઈ લોકો એ પણ સોશ્યલ મીડિયા ઉપર મેસેજોનો મારો ચાલુ કર્યો છે.  અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી માં ભાગ લેનાર માંથી એક કોરોના પોઝીટીવ દર્દી અન્ય લોકો ને સંક્રમિત કરશે તો તેનો જવાબદાર કોણ..??   ભરૂચ જીલ્લા માં જીલ્લાકક્ષા નો સ્વાતંત્ર્ય પર્વ કોરોના ના ભય વચ્ચે પણ ભર...

ભરૂચ જિલ્લામાં નવા કોરોના 26 પોઝીટીવ કેસ નોંધાયા, ભરૂચ નગરપાલિકાના વિપક્ષી નેતા તથા કાકા મળી આજે 18 દર્દી સાજા થતા રજા અપાઈ....

Image
  ભરૂચ જિલ્લામાં કોરોના રોજ પોતાની હાજરી પુરાવી રહ્યો છે ત્યારે આજે ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી પાંચ તાલુકામાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા જેમાં ભરૂચ 9, અંકલેશ્વર 14, ઝઘડિયા 1, નેત્રંગ 1, હાંસોટ 1 મળી કુલ 26 કોરોના પોઝિટિવ નોંધાયા હતા ત્યારે કોરોના ની સંખ્યા સતત વધી રહી છે તહેવારોની મોસમ ખીલતાં લોકો પણ સવારથી જ જાહેર માર્ગો ઉપર નીકળી પડતા હોય છે જેના કારણે એક બીજાના સંપર્કમાં આવવાથી કોરોના સતત વકરી રહ્યો છે તો ભરૂચ જિલ્લામાં 18 જેટલા દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ હતી તો ભરૂચ નગર પાલિકાના વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ સહીત તેઓના કાકાએ કોરોના ને માત આપી ઘરે પરત ફરતાં સોસાયટીના લોકોએ તેઓનું ફૂલોની વર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું...

ભરૂચના લીંબુછાપરી વિસ્તારમાં પીવાના પાણીમાં જીવાતો નીકળતા રોષ....

Image
  ભરૂચ જિલ્લા માં કોરોના ની મહામારી સાથે નિમોનિયા ડેન્ગ્યુ જેવા રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારો માં પૂરો પાડવામાં આવતો પીવાના પાણી પુરવઠો પ્રદુષિત અને દુર્ગંધ વાળો તથા જીવાત નીકળતી હોવાના કારણે પાણી નો પુરવઠો રોગચારા ને આમંત્રણ આપી રહ્યો હોય જેના કારણે લોકો ને રોગચાળા ની દેહસત વર્તાઈ રહી છે ત્યારે લીંબુછાપરી વિસ્તાર માં લોકો ના ઘરે ભરૂચ નગરપાલિકા દ્વારા અપાતો પીવાના પાણી ના પુરવઠામાં જીવતો તથા કચરાવાળું પાણી આવતા હવે લોકો ને રોગચાળા ની દેહસત વર્તાઈ રહી છે ત્યારે પીવાનું પાણી પ્રદુષિત હોઈ તો રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહિ ત્યારે પીવાના પાણી માં જીવાત આવતા મહિલા એ નગરપાલિકા સામે  ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

ભરૂચમાં કોરોનાના ભય વચ્ચે પણ ઘોઘારાવની સ્થાપના સાથે છડી જુલાવાઈ....

Image
  સમગ્ર વિશ્વ માં માત્ર ભરૂચ ખાતે છેલ્લા ૨૫૦ વર્ષ થી ઉજવાતા મેઘ ઉત્સવ ને કોરોના નું ગ્રહણ લાગ્યું છે અને સાતમ થી ભરાતા ભાતીગળ મેઘમેળા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર એ પ્રસિદ્ધ કર્યું છે.જેના પગલે મેળો યોજાયો નથી પરંતુ ભોઈ પંચ દ્વારા ધાર્મિક વિધિ મુજબ ધોધારાવ મંદિર ને ખુલ્લું કરી મંદિર માં ધોધારાવ ની વિધિવત સ્થાપના કરવામાં આવી છે અને ભરૂચ માં ત્રણ સમાજ દ્વારા પોત પોતાના સમાજ ની વાડી માં ધોધારાવ ની સ્થાપના વિધિવત મુજબ કરવામાં આવી છે.જેમાં ભરૂચ માં મેઘરાજા ની સ્થાપના નજીક ધોધારાવ મંદિરે ભોઈ પંચ દ્વારા સાડા ત્રણ દિવસ માટે અખંડ જ્યોતિ પ્રગટાવી છડી ની સ્થાપના કરી હતી અને છડી ને મંદિર નજીક ઝુલાવવામાં પણ આવી હતી અને લોકો નો જોવા મળે મેળાવડો જામ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા જાહેરનામાં ના ધજાગરા ઉડતા પોલીસ ની કામગીરી ઉપર સવાલો ઉભા થયા હતા.તો ભરૂચ માં લાલબજાર વિસ્તાર માં હરીજન વાસ માં પણ સમાજ ના આગેવાનો દ્વારા સાદગાઈ થી ધોધારાવ ની સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવી છડી ઉત્સવ નો પ્રારંભ કર્યો હતો.તો વેજલપુર માં ખારવા ખંભાત...

ભરૂચ જીલ્લામાં કોરોના વકરવા પાછળ લોકો જવાબદાર, નર્મદા નદીમાં માતાજીના વિસર્જન ઉપર પ્રતિબંધ : સંધ્યાકાળે સહેલાણીઓના મેળાવડા....

Image
  ભરૂચ શહેરમાં દશામાંના સમાપન દિવસે સમગ્ર રાત્રી દરમ્યાન નર્મદા નદી ના ઘાટો ઉપર પોલીસ કાફલો ખડકી નર્મદા નદી માં માતાજી નું વિર્સજન ન કરવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો,જેથી લોકો એ માતાજી ની મૂર્તિ લઈ રાત્રી દરમ્યાન ભટકવાનો વાળો આવ્યો હતો.ત્યારે હવે રોજ બપોર બાદ સંધ્યાકાળ ના સમયે કોરોના ના દર વિના ભરૂચ ના ઝાડેશ્વર કેબલ બ્રિજ તથા શીતળા માતાજી ના તથા ગાયત્રી મંદિર ના ઘાટ ઉપર લોકો નો મોટી સંખ્યા માં મેળાવડો જામી રહ્યો છે અને લોકો માસ્ક વિના તથા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે.ત્યારે લાપરવાહ લોકો ના કારણે કોરોના ભરૂચ જીલ્લા માં વકરી રહ્યો છે.દશામાં નું વિર્સજન નર્મદા નદી માં ન થાય તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.પરંતુ રોજ નર્મદા નદી ના ઘાટો ઉપર લોકો ના જામતા મેળાવડા ઓ ને પોલીસ દૂર કરવામાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે.નર્મદા નદી ના ઘાટો ઉપર રોજ સંધ્યાકાળ ના સમયે લોકો મોટી સંખ્યા માં પોતાના વાહનો સાથે ઉમટી રહ્યા છે.ત્યારે લોકો માં પણ સાવચેતી ના આભાવે ભરૂચ શહેર અને જીલ્લા માં કોરોના વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.હોવું રહ્યું કે સમગ્ર અહેવાલ બાદ લોકો ...

ભરૂચમાં 1 કોરોના શંકાસ્પદ તથા 5 પોઝિટિવ મળી 12 કલાકમાં 6ના મોત....

Image
  ભરૂચ જીલ્લા માં શ્રાવણ માસ ના ધાર્મિક તહેવારો શરૂ થતા જ કોરોના સતત વકરી રહ્યો છે.જે ગતરોજ ૨૪ કોરોના પોઝિટિવ નોંધ્યાં હતા અને કેટલાક દર્દીઓ એ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે એક જ રાત માં માત્ર ૧૨ કલાક માં ભરૂચ ની સરકારી અને ખાનગી હોસ્પીટલો માં ૬ દર્દીઓ ના મોત નિપજ્યા હતા. જેમાં (૧) અંકલેશ્વર ની ખાનગી હોસ્પીટલ માં કોરોના ની સારવાર લઈ રહેલા ૬૫ વર્ષીય વચનામૃત સોસાયટી અંકલેશ્વર ના દર્દી નું મોત નીપજ્યું હતું.. (૨) અંકલેશ્વરની હોસ્પીટલ માં વધુ એક દર્દી ૫૬ વર્ષીય જનકવાટિકા સોસાયટી અંકલેશ્વર નું પણ શંકાસ્પદ મોત નીપજ્યું હતું. (૩) ભરૂચ ની આર કે હોસ્પીટલ માં સારવાર લઈ રહેલા ૪૫ વર્ષીય ગેંડીગેટ માંડવી વડોદરા નાઓ ને વડોદરા માં સારવાર અર્થે ખસેડવામાં આવે તે પહેલા જ રસ્તા માં દમ તોડ્યો હતો. (૪) ભરૂચ ની સિવિલ હોસ્પીટલ માં કોરોના ની સારવાર લઈ રહેલા ૪૬ વર્ષીય સનરાઈઝ એપાર્ટમેન્ટ જોલવા ના રહીશ નું મોત નીપજ્યું હતું. (૫) મહંમદપુરા નજીકની પટેલ વેલફેર હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા બુદ્ધદેવ માર્કેટ સેવાશ્રમ રોડ ઉપર ના ૪૭ વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું..  (૬) હોસ્પિટલમાં જ અંકલેશ્વરના રઘુવીર નગર બોરભ...

ભરૂચ જિલ્લામાં નવા 17 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા, આજે 537 દર્દીઓના શંકાસ્પદ સેમ્પલ લેવાયા...

Image
  ભરૂચ જિલ્લામાં કોરોના ની સંખ્યામાં સતત વધારો થયો છે ત્યારે આજે પણ નવા ૧૭ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા જેમાં ભરૂચ ૬ અંકલેશ્વર ૭ આમોદ ૨ ઝઘડિયા ૧ જંબુસર ૧ મળી ૧૭ કોરોના પોઝિટિવ નોંધાયા હતા જેના પગલે ભરૂચ જિલ્લાનો કુલ આંકડો ૧૦૯૬ ઉપર પહોંચ્યો છે જ્યારે આજે નવા કોરોના શંકાસ્પદ ૫૩૭ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યારે આજે સૌથી વધુ કોરોના ના સેમ્પલો લેવાયા હોવાની માહિતી સાંપડી રહી છે ભરૂચ જિલ્લામાં સતત લોકોની અવર જવરના કારણે એક બીજાના સંપર્કમાં આવવા ના કારણે પણ કોરોના નું સંક્રમણ સંક્રમણ વકરી રહ્યુ છે ત્યારે હજુુુુુુ પણ લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે જિલ્લા વહીવટીતંત્ર નું જાહેરનામું હોવા છતાં નર્મદા નદીના કાંઠા ઉપર લોકોના મેળાવડાઓ જામી રહ્યા છે ત્યારેે લોકોમાંં સાવચેતી નહીં આવે તો આવનારા સમયમાં કોરોનાનું સંક્રમણ વધુુ ફેેેેેલાય તો નવાઈ નહિ..

દહેજ બંદર પર વાવાઝોડાની ચેતવણીનું 3 નંબરનું સિગ્નલ : માછીમારોને દરિયો ન ખેડવા વહીવટી તંત્રની સૂચના....

Image
  ભરૂચ જિલ્લામાં ચોમાસાની મોસમ જામી છે. ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેસરની સ્થિતિ ઉભી થઈ છે. વરસાદી માહોલ તથા લો-પ્રેસરને કારણે વાવાઝોડું ફૂંકાવાની શક્યતાઓને જોતાં ગુજરાતના બંદરોને એલર્ટ કરાયાં છે. જેમાં ભરૂચ જિલ્લાના દહેજ બંદરનો પણ સમાવેશ થાય છે. સંભવિત વાવાઝોડાની ચેતવણી આપવા માટે દહેજ બંદરે શનિવારે સવારથી 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયો તોફાની બને તેવી શક્યતાને જોતાં માછીમારોને દરિયો નહીં  ખેડવા સૂચના આપી છે.દહેજ બંદરે ખાનગી કંપનીઓની માલિકીની 4 જેટીઓ આવેલી છે અને ત્યાં માલસામાનની હેરાફેરી કરતાં જહાજો લાંગરતા હોય છે. વહીવટીતંત્રે જેટીની સંચાલક કંપનીઓને પણ તકેદારીના પગલાં ભરવા તાકીદ કરી છે. વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના 34 થી વધારે ગામોને એલર્ટ કરાયાં છે. અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડાને પગલે ગામોમાં રહેતાં લોકોને સતર્ક રહેવા સુચના અપાઇ છે. ખાસ કરીને જંબુસર તાલુકાના માછીમારોને પણ વાવાઝોડાની સંભાવનાને પગલે દરિયામાં ન જવા જણાવી દેવાયું છે. તો બીજી તરફ હાલના તબકકે ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ વાવાઝોડાની ચેતવણી માટે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયામાં ન જવ...

નદીઓમાં નવા નીર આવતા ડુંગરો અને કોતરો સોળેકલાએ ખીલી ઉઠ્યા....

Image
નેત્રંગ તાલુકાની કરજણ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નેત્રંગમાં સમગ્ર વિસ્તાર કોતરો અને ડુંગરોનાં હોય જેથી કરજણ નદીમાં આવેલ ધોડાપુરને પગલે ડુંગરો અને કોતરો સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. આવા દ્રશ્યો સર્જાતા ચોમાસુ સારું જાય તેવી આશા બંધાય રહી છે. સાથે જ ખેડૂતોને સફળ ખેતી થશે તેવી આશા બંધાતા તેઓ હરખમાં આવી ગયા હતા. નેત્રંગ તાલુકાનાં ધાણીખૂંટ ગામે કરજણ નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે  કરજણ નદી નેત્રંગ તાલુકા અને અન્ય તાલુકા માટે જીવાદોરી સમાન છે. આ નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશહાલ થઈ ગયા હતા..  

શ્રીજીને પણ કોરોનાનું ગ્રહણ : શ્રીજીને ઘરે જ વિસર્જન કરવા પડશે તેવા જાહેરનામાથી મૂર્તિકારો માટીની મૂર્તિ તરફ વળ્યા...

Image
  ભરૂચ જીલ્લા માં કોરોના ની મહામારી એ તમામ ઉત્સવો સાથે ધાર્મિક તહેવારો ને ફીકા પાડી દીધા છે. જેમાં પ્રથમ 250 વર્ષ થી ગુજરાત માં માત્ર ભરૂચ ખાતે ઉજવાતા મેઘ ઉત્સવ ને પણ કોરોના ના ગ્રહણ ના પગલે મેળો નહિ યોજાય તેવું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર એ પ્રસિદ્ધ કર્યું છે અને તેમાં શ્રીજી ઉત્સવ ને પણ આવરી લેવામાં આવ્યો છે.જેમાં ઉલ્લેખ કરાયો છે.કે શ્રીજી ની સ્થાપના જાહેર સ્થળો માં સ્થાપિત નહિ કરી શકાય.જાહેર માં સરઘસો નહિ કાઢી શકાય.તદ્દઉપરાંત શ્રીજી ને પોતાના ઘરે જ વિસર્જન કરવા પડશે તેવા જાહેરનામા ના પગલે શ્રીજી આયોજકો અને મૂર્તિકારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. ભરૂચ ના અંકલેશ્વર, રાજપીપળા ચોકડી અને ગડખોલ પાટીયા નજીક મૂર્તિકારો એ પીઓપી ની મૂર્તિઓ નો ખડકલો કરી આયોજકો પીઓપી ની મૂર્તિઓ બુકીંગ કરાવશે તો મૂર્તિ ને રંગરોગાણ કરી આયોજકો ને આપવામાં આવશે.તો કેટલાય મૂર્તિકારો આયોજકો ની રાહ જોઈ બેઠા છે.કે આયોજકો મૂર્તિ પસંદ કરવા આવે અને તેઓ ને રોજગારી મળે.પરંતુ ગતરોજ પ્રસિદ્ધ થયેલા જીલ્લા કલેકટર ના જાહેરનામા ના પગલે આયોજકો પણ મૂંઝવણ માં મુકાઈ ગયા છે.ત્યારે કોરોના ની મહામારી ના પગલે ભરૂચ જીલ્લા માં મૂર્તિકારો ...

વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં 200 વર્ષથી ઉજવાતો મેઘમેળો ઇતિહાસમાં પ્રથમ વખત નહિ યોજાઈ....

Image
  ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા 200 વર્ષથી વધુ સમયથી ઉજવાતા પરંપરાગત તહેવાર મેઘરાજા અને છડી મહોત્સવ-મેળો આ વખતે કોરોનાને કારણે નહિ યોજાય... કોરોના ગ્રહણના કારણે છડી,મેઘ મેળા સાથે જન્માષ્ટમી, ગણેશોત્સવની ઉજવણી પર પણ પ્રતિબંધ..   બે છડી અને મેઘરાજાના મિલનને લઈ જાદવ-ખારવા સમાજ અવઢવમાં .. વિશ્વમાં એકમાત્ર ભરચમાં 2 સદી ઉપરાંતથી ઉજવાતા આ ઐતિહાસિક ઉત્સવની દંતકથા છપ્પનિયા દુષ્કાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજે 200 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ‌ થાય તો ભોઇ સમાજના વડવાઓએ મૂર્તિ‌ને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમુહ વચ્ચે શ્રધ્ધા અને ભકિતરૂપે ઉજવવામાં આવે છે. આ મેળો 'મેઘમેળો’ કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે. તેની પુર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસ...

ભરૂચ નગરપાલિકાના કર્મચારીના પરિવાર કોરોના પોઝિટિવ, 11 કોરોના પોઝિટિવ...

Image
  ભરૂચ નગરપાલિકાના સ્ટોર કીપર ફરજ નિભાવતા આર.પી.ઠાકોરનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓના પરિવારના પણ ટેસ્ટ કરવામાં આવતા તેઓની પત્ની તથા સંતાનો કોરોના પોઝિટિવ આવતા ત્રણ લોકો કોરોના સંક્રમિત નો ભોગ બન્યા છે ત્યારે ભરૂચ નગર પાલિકામાં કોરોના સંક્રમિત દર્દીઓ તથા કેટલાય કર્મચારીઓના કોરોના તથા શંકાસ્પદ મોત નીપજ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકાને કોરેન્ટાઈન કરવામાં આવે તો કોરોના નું સંક્રમણ ઘટી શકે તેમ પણ છે... ભરૂચ જિલ્લામાં કોરોના સતત પોતાની હાજરી પુરાવી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના ૯ તાલુકા પૈકી માત્ર ભરૂચ અને અંકલેશ્વરમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જેમાં ભરૂચ તાલુકામાં સવથી વધુ ૮ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા જ્યારે અંકલેશ્વરમાં માત્ર ૨ જ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા જ્યારે ભરૂચ જિલ્લાના સાત તાલુકામાં કોરોનાએ ગેરહાજરી પુરાવી હતી ભરૂચ જિલ્લામાં માત્ર ભરૂચ તાલુકામાં આઠ કોરોના જ્યારે અંકલેશ્વરમાં બે મળી ૧૦ કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ભરૂચ જિલ્લાનો કોરોના પોઝીટીવ નો આંકડો ૧૦૪૪ ઉપર પહોંચી ગયો છે ત્યારે ભરૂચ તાલુકામાં સૌથી વધુ કોરોના નું સંક્રમણ આજે સામે આવ્યું હતું ત્યા...

ભરૂચ જિલ્લામાં ફુલોની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી, ગુલાબના ફુલો ફેંકી દેવાનો વારો આવ્યો...

Image
  ફુલને ફેકી દેવાનુ કારણ પુછતા વેલુ ગામના ખેડુતે જણાવ્યું હતુ કે હાલમાં આઠ દિવસથી ફુલોના વેચાળ માટેનો બજાર બંધ છે અને ગુલાબ ના ફુલ કોઇ વેપારીઓ ખરીદવા આવતા નથી અને કોઈ વ્યાપારી ખરીદવા આવતો હોયતો તદ્દન ઓછા ભાવે માંગે છે જેથી ખેડૂતોને આ તૈયાર થયેલા ગુલાબના ફૂલોને પાણીના પ્રવાહમાં ફેંકી દેવાનો વારો આવ્યો છે તેમજ આ વર્ષે ગુલાબની ખેતીમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન હોવાનુ પણ ખેડુતો જણાવી રહયા છે.. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે કારણકે કોરોનાના ગ્રહણને કારણે કેટલાય મંદિરો માં ફૂલો ચડાવવા ઉપર પ્રતિબંધ હોવા ના કારણે પણ ફૂલો નું વેચાણ ન થતું હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે સમગ્ર વર્ષ માં કોરોના ના ગ્રહણના કારણે ફુલોની ખેતી કરતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હોય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે... તો કેટલાય ફુલોની ખેતી કરતા ખેડૂતો અન્ય ખેતી તરફ પણ વળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે કોરોનાના ગ્રહણને કારણે મંદિરોમાં ફૂલોનો ઉપયોગ ન કરવામાં આવતાં ખેડૂતો એ પણ હવે ફુલોની ખેતી થી દૂર થઇ રહ્યા છે ત્યારે ફુલોની ખેતી કરતા ખેડૂતો એ પણ ભરૂચ જિલ્...

ભાડભૂત ખાતે રૂ. 5300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભાડભૂત બેરેજ યોજનાનું ખાતમુર્હત, માછીમારોએ કાળા વાવટા ફરકાવ્યા...

Image
  ભરૂચના ભાડભૂત સ્થિત દરિયાઈ ભરતી ના પાણી ને રોકવા અને નર્મદા નદી ને શુદ્ધ રાખવાના ભાગરૂપે સરકાર દ્વારા બેરેજ યોજના અમલ માં મુકવામાં આવી હતી.જે વડપ્રધાન નરેન્દ્ર મોદી એ ભરૂચ ના મક્તમપુર સ્થિત યોજાયેલ સભા માંથી ખાતમુર્હત ઓનલાઇન કર્યું હતું અને તે સમયે માછીમારો તથા સમગ્ર ભાડભૂત ગામ ના તથા વેજલપુર સહીત અન્ય માછીમારો ને નજર કેદ કરાયા હતા.છતાં તે સમયે પણ કેટલાયે માછીમારો એ નર્મદા નદી માં પોતાની નાવડી અને બોટ ઉપર કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.જે બાદ બેરેજ યોજના 5300 કરોડ ના ખર્ચે નિર્માણ થનાર હોવાનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા પુનઃ આજે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી દ્વારા ઈ ખાતમુર્હત વિધિ યોજાઈ હતી.જેમાં ભાડભૂત ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ધારાસભ્યો તથા રાજકીય હોદ્દેદારો એ વિધિવત ખાતમુર્હત કર્યું હતું. જેના પગલે આજે પણ બેરેજ યોજના ના વિરોધ માં માછીમારીઓ એ નર્મદા નદી માં પોતાની નાવડી અને બોટ ઉપર કાળા વાવટા ફરકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.જોવું રહ્યું કે માછીમારો ના વિરોધ વંટોળ વચ્ચે બેરેજ યોજના ની કામગીરી ચાલશે.માછીમારો એ પણ વિરોધ કરતા જણાવ્યું હતું કે બેરેજ યોજના થી દરિયા નુ...

બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અપમાનિત વિડીયો બનાવનાર લુલીગેંગ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા સંગઠનોનો હોબાળો....

Image
  ભરૂચ ના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા સાથે કેટલાક યુવાનો વધુ લાઈક અને વ્યુ મળેવવા ની લ્હાય માં ભાન ભૂલી વિશ્વ વિભૂતિ અને રાષ્ટ્ર પુરુષ ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને મશ્કરી અને મજાક નું સાધન બનાવી ડૉ.બાબા સાહેબ આંબડેકર ને ટેડીબીયર સાથે સરખાવી પ્રતિમા ને પકડી તેમના માથા ઉપર હાથ ફેરવી અપમાનિત કરતો વિડિઓ લુલી ગેંગે બનાવી પોતાના યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતા દલિત સંગઠનો ની લાગણી દુભાઈ હોવાના પગલે દલિત સંગઠનો એ વિડીયો બનાવનાર તત્વો અને સમગ્ર લુલી ગેંગ સામે રાષ્ટ્રદ્રોહ નો ગુનો દાખલ કરી માંગ ઉઠાવી ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ધસી આવી સમગ્ર ઘટના ને વખોડી કલેકટર ને ઉગ્ર રજૂઆત કરી વારંવાર ની આવી ઘટના ઉપર અંકુશ મેળવવા માટે કલેકટર ને આવેદન પત્ર પાઠવી વિડીયો બનાવનાર અને સમગ્ર લુલી ગેંગ સામે ડૉ.બાબા સાહેબ આંબેડકર નું અપમાન કરવા બદલ રાષ્ટ્રદ્રોહ નો ગુનો દાખલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. યુટ્યુબ ચેનલ ઉપર ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા સાથે મસ્તી મજાક અને મશ્કરી કરતો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરનાર યુવાનો સામે દલિત સમાજ માં...

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....

Image
ખળભળાટ ઉભો કરતા વીડિયોમાં ભરૂચના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રણ યુવાનોમાં નો એક યુવાન ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવતો હોય તેમ બોલતો દેખાય છે. એટલુંજ નહિ બે યુવાનો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પ્લેટફોર્મ પર બેસી તેમના માથા ઉપર હાથ ફેરવી મજાક કરતા પણ દેખાય છે. આંબેડકરને ટેડીબિયર સાથે સરખાવા ઉપરાંત પ્રતિમાને બાથમાં લઈ બેસી મજાકનું સાધન બનાવી દેતો આ વીડિયો વાયરલ થતા જ તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે. દલિત ઉપરાંત આંબેડકરવાડીઓમાં આ વીડિયોને લઈ રોષ ઉભો થયો છે. દલિત સમાજ સહિત આંબેડકરવાદીઓએ ત્રણે યુવાનો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જોકે સમગ્ર વાયરલ વીડિયોમાં ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું અપમાન કરી રહેલા યુવાનો સામે દલિત સંગઠનો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ હોબાળો મચાવી આંબેડકરની મૂર્તિ સાથે મશ્કરી અને મજાક કરતો વિડિયો બનાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરનાર છે ભરૂચ જિલ્લાના દલિત સંગઠનોમાં પણ વાયરલ વિડીયો ના પગલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે..

ભરૂચ ના મકતમપુર ની અવાવરું જગ્યા એ થી મહિલા-પુરુષ ના મળી આવેલ મૃતદેહ નો ભેદ ઉકેલતી પોલીસ....

Image
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ના મકતમપુર રોડ ઉપર આવેલ એક આશ્રમ ની પાછળ સેફાયર એપાર્ટમેન્ટ ની પાસે ઝાડી ઝાંખડા ની અવાવરું જગ્યા એ થી મહિલા અને પુરુષ ના લોહી લુહાણ અવસ્થા માં મૃતદેહ મળી આવ્યા હતા.જે અંગે ની જાણ સી ડીવીઝન પોલીસ મથક ના પીઆઈ દીપક ઉનડટક ને થતા પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર દોડી આવી.ઘટના ની જીણવટ ભરી તપાસ કરી નજીક માં રહેલી બે મહિલા ની પૂછપરછ કરતા મહિલાઓ એ સમગ્ર ઘટના અંગે પુરુષે મહિલા ની હત્યા કરી કબુલાત કરી હતી અને પુરુષે પોતે ગળું કાપી આત્મહત્યા કરી હોવાની કેફિયત રજુ કરી હતી.જો કે મૃતકો ના વાલીવારસોને સ્થળ ઉપર બોલાવવામાં આવતા મૃતક મહિલા પરણિત હોય અને બે સંતાનો ની માતા હોવા છતાં તેની મારનાર પ્રેમી સાથે પાંચ વર્ષ થી પ્રેમ સબંધ હોવાનો મહિલા મૃતક ના પતિ એ ખુલાસો કરી મારનાર તુલસી સોલંકી વિરુદ્ધ પત્ની ની હત્યા કરવા અંગે ની ફરીયાદ આપી હતી.જેના પગલે સમગ્ર હત્યા ની ભેદ ઉકેલી નાંખવામાં આવતા ડીવાયએસપી જે એસ નાયકે જણાવ્યું હતું કે મહિલા અને પુરુષ વચ્ચે ના પ્રેમ સંબધ હોવાના કારણે પ્રેમિકા એ પ્રેમી ને સબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમીએ પ્રેમિકા ની હત્યા કરી નાંખી છે અને હત્યા કરનાર તુલસીભાઈ સ...

દાંડિયા બજાર માં મહિલા તથા તબીબનું તથા અન્ય એક મળી 3 ના કોરોના થી મોત થતાં તંત્ર દોડતુ...

Image
ભરૂચ જિલ્લામાં કોરોના રોજ પોતાની હાજરી પુરાવી રહ્યો છે છતાં પણ ભરૂચ જિલ્લાવાસીઓમાં સતૅકતા દેખાતી નથી જેના પગલે વધુ પ્રમાણમાં એકબીજાના સંપર્કમાં આવવાના કારણે કોરોના સતત વકરી રહ્યો છે છતાં લોકોમાં પણ સાવચેતી જોવા મળતી નથી જેના કારણે રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને કેટલાય દર્દીઓ સારવાર દરમિયાન દમ તોડી ગયા છે ત્યારે ભરૂચમાં દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિર નજીક મહિલા સુમિત્રાબેન ત્રિવેદીનું મોત નિપજતા તંત્ર દ્વારા દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરને પતરા વડે મુખ્ય પ્રવેશદ્વાર સીલ કરી દેવામાં આવ્યો છે ત્યારે હજુ પણ લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે તો ભરૂચના કૃષ્ણ નગર સોસાયટીમાં રહેતા અને દાંડિયા બજાર માં એક ક્લિનિક ધરાવતા તબીબ ડોક્ટર જયંતિ રાણાનું વડોદરાની હોસ્પિટલમાં કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજયું હોવાના અહેવાલો મળી રહ્યા છે જ્યારે તેઓની પત્ની હાલ સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી રહી છે અંકલેશ્વરના ગડખોલ બી. ટી નગર બબલુ મોબાઇલ પાસે રહેતો વ્યક્તિ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહ્યો હતો તે દરમિયાન આજરોજ તેનું મોત નીપજ્યું હતું જીવોના  અંતિમ ...

ભરૂચ જનશિક્ષણ સંસ્થાન દ્વારા કોરોના વોરિયર્સનું રક્ષાસૂત્ર બાંધી સન્માન કરાયું...

Image
જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક જયનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ સંસ્થાની મહીલા પાંખ દ્વારા ભરૂચમાં સેવા બજાવતા પ્રથમ હરોળના કોરોના વોરીયર્સ કે જેઓ કોવીડ-૧૯ મહામારીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે. તેવા પોલીસ કર્મચારીઓ, સ્વાસ્થય કર્મચારીઓ, એબ્યુલન્સ પાયલોટ તથા સફાઇ કર્મચારીઓને પ્રોત્સાહીત કરવા તેમની કામગીરીને બીરદાવવા સ્વહસ્તે તૈયાર કરેલ. “મેં હું કોરોના વોરીયર” રાખડીઓ બાંધી સાથે માસ્ક અને મિઠાઇનું વિતરણ કરી તેઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આવા કપરા દિવસોમાં ઉત્સાહપૂર્વક સેવા બજાવવા માટે પ્રેરણા પણ આપી હતી..                            આ કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તરફથી ગીતાબેન સોલંકી,  ક્રિષ્ણાબેન ઢોલીયા, ઝહીમ કાઝી, ડી.આર. સિંધા વગેરે દ્વારા આયોજન કરી ભરૂચ સીટી પોલીસ સ્ટેશન સોનેરી લાઇન્સ તેમજ ભરૂચ નગરપાલીકા ખાતે કાર્યક્રમનું સફળ આયોજન કરેલ હતું . સંસ્થાના બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેમજ પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી તેઓને આ શ્રેષ્ઠ કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.  અને આગામી દિવસોમાં આવા ઉત્સાહવર્ધક કાર્યક્રમો કરવા ...

ભરૂચમાં રક્ષાબંધન નિમિત્તે રાખડી ખરીદી માટે સોશ્યલ ડિસ્ટન્સ ભૂલાયું : ઠેર ઠેર મેળાવડા જામ્યા...

Image
ભરૂચ જીલ્લા માં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે. છતાં લોકો માં સાવચેતી નો અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે રક્ષાબંધન ની ઉજવણી ના ભાગરૂપે ભરૂચ ના બજારો માં ખરીદી માટે ભારે ભીડ જામી રહી છે.તો કેટલાય વિસ્તારો માં જાહેરમાર્ગો ઉપર જ રાખડી ના પથારા ઉપર રાખડીઓ ની ખરીદી માટે લોકો ના મેળાવડા જામી રહ્યાં છે.. તો કેટલાય લોકો માસ્ક વિનાના અને સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવી રહ્યા છે.જેના પગલે ભરૂચ જીલ્લા માં કોરોના નું સંક્રમણ વધુ ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહી છે.ભરૂચ ના સ્ટેશન રોડ,શક્તિનાથ,એમજી રોડ સહીત ના ઝાડેશ્વર વિસ્તાર ના જાહેરમાર્ગો ઉપર જ રાખડીના વેપારીઓ એ પથારા લગાવી દેતા રાખડી ની ખરીદી માટે લોકો ના ટોળે ટોળા એકત્ર થઈ રહ્યા છે.જેના પગલે ભરૂચ જીલ્લા માં આવનાર સમય માં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ તો નવાઈ નહિ.ત્યારે જાહેરમાર્ગો ઉપર જામતા ટોળાઓ ને દૂર કરવા માટે પોલીસ પગલાં ભારે તે જરૂરી છે.

કોરોનાથી સાવચેતી રાખો / ભરૂચ જિલ્લામાં કોરોના અને શંકાસ્પદ 5 દર્દીઓના મોત સાથે નવા 16 પોઝિટિવ નોંધાયા...

Image
ભરૂચ જિલ્લામાં સતત કોરોના ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની તથા જિલ્લા બહારની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોના ની સારવાર લઈ રહેલા કેટલાક દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આજે પણ પાંચ જેટલા કોરોના અને શંકાસ્પદ દર્દીઓના મૃત્યુ નિપજયા હતા જેમાં ભરૂચની ફલશ્રુતિ નગરની ખાનગી હોસ્પિટલમાં ઝઘડિયા તાલુકાના હનુમાન ફળિયા ના ૫૮ વર્ષીય પુરુષનું મોત નિપજયુ હતું તો જયાબેન મોદી હોસ્પિટલમાં ૬૫ વર્ષીય નારાયણ ફળિયાના પંચાયતી બજાર ના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું તો વેજલપુરના એક દર્દીનું પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું તો ભરૂચની સેવાશ્રમ  હોસ્પિટલમાં પણ કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીનું મોત નિપજતા ભરૂચ જિલ્લામાં પાંચ જેટલા કોરોના અને શંકાસ્પદ દર્દીઓના મોત નિપજ્યા હતા જ્યારે આજે નવા ૧૬ કોરોના પોઝેટીવ કેસ નોંધાયા હતા જેમાં ભરૂચ ૮ અંકલેશ્વર ૭ જંબુસર ૧ મળી કુલ ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ભરૂચ જિલ્લાનો કુલ આંકડો ૯૬૧ ઉપર પહોંચ્યો હતો... અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના અંકલેશ્વરના દક્ષિણ છેડે તંત્ર દ્વારા ઉભુ કરાયેલ કોંવિંડ ૧૯ સ્મશાનમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ...

કોરોનાના ગ્રહણ / ગુજરાતમાં માત્ર ભરૂચમાં 250 વર્ષ થી ઉજવાતો મેઘ ઉત્સવ યોજાસે...? 2019 ની ઝલક...

Image
ભરૂચના ભોઇવાડમાં સ્થાપિત કરવામાં આવેલી મેઘરાજાની પ્રતિમાને શણગારવા તથા નવા વાઘા પહેરાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે..દુનિયામાં ઠેરઠેર ઉજવાતા વિવિધ મેળાઓ પાછળ કોઈ ને કોઈ પ્રકાર ની દંતકથા પ્રચલિત હોય છે અને એ દંતકથા ને આધારે પ્રતિવર્ષ એ મેળા ઉજવાતા જ રહે છે આવા મેળાઓ માં ભારતભર માં પ્રચલિત એવો એક મેળો તે મેઘરાજા નો મેળો, આ મેળો આશરે ૨૫૦ વર્ષથી દર વર્ષે ઉજવાઈ રહ્યો છે.. આ મેળો ભરૂચ માં આવેલા મોટા ભોઈવાડ માં ખુબ જ ધામધૂમ થી ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે મોટા ભોઈવાડ માં અષાઢ માસ ની વદ ચૌદશ થી રાત્રે માટી માંથી મેઘરાજા ની ભવ્ય પ્રતિમા બનવવા માં આવે છે આ પ્રતિમા એક જ રાત માં તૈયાર થઇ જાય છે અને એ પ્રતિમા ને સમયાંતરે શણગારી શ્રાવણ વદ દશમ ના દિવસે સાંજે નર્મદા માતા ના પવિત્ર જળ માં પઘરાવી દઈ આ ઉત્સવ ની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ ભવ્ય મેળા પાછળ ની લોકવાયકા એવી છે કે ભરૂચ માં વસતા યાદવ વંશ ની પેટા જ્ઞાતિ ના ભોઈ લોકો ના વંશજો તરફ થી આજ થી આશરે ૨૫૦ વર્ષ પહેલા આ મૂર્તિ ની પ્રથમ સ્થાપના કરવામાં આવી હતી...   કોરોના વાયરસના કહેરના કારણે આ વર્ષે તહેવારોની ઉજવણી ભલે ફીકકી પડી હોય પ...