*અંકલેશ્વરમાં સાચું પત્રકારત્વ કરનાર એટલે મના કાકા..*
દુઃખદ :- અંકલેશ્વરમાં સાચું પત્રકારત્વ કરનાર એટલે મના કાકા.. અવસાનના સમાચાર સમગ્ર પત્રકાર જગત માટે દુઃખદ.. પત્રકાર એટલે હંમેશા ભાંગ દોડમાં કામ કરનાર વ્યક્તિ એટલે પત્રકાર હંમેશા ઠરીને જમી પણ ન શકે અને જમતા જમતા પણ જો કોઈ ગંભીર સમાચાર નો કોલ આવે તો તાત્કાલિક દોટ મૂકવી એટલે પત્રકાર પત્રકાર હંમેશા નિસ્વાર્થ ભાવે દોડીને પણ સમાચાર કવરેજ કરી દર્શકો સમક્ષ મુકતા હોય છે અને એટલા માટે જ પત્રકાર જગતને ચોથો સ્તંભ માનવામાં આવે છે આવા જ એક પત્રકાર મના કાકાએ સૌ પત્રકારોને અચંબામાં મૂકી આ દુનિયાને અલવિદા કરી દીધી છે એવું કહેવાય છે કે પત્રકાર એટલે શું પત્રકાર એટલે એક અરીસો કહેવાય જે હંમેશા સાચાનું સાચું દર્શાવવાની હિંમત રાખતા હોય છે આવા જ એક અંકલેશ્વરના પત્રકાર કે જેને હુલામણા નામથી મના કાકા તરીકે ઓળખતા અને હંમેશા આગ જેવી દુર્ઘટના કે નર્મદા નદીમાં પુર કે અન્ય કોઈપણ મોટી ગંભીર ઘટના બની હોય તો ત્યાં હંમેશા પહોંચી જતા ડ્રોન ઉડાવીને પણ કવરેજ આપતા અને સાચા અર્થમાં પત્રકારત્વ કરતા આજે તેઓએ આ દુનિયાને અલવિદા કરતાં પત્રકાર જગત માટે પણ ગંભીર દુઃખદ દિવસ રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર રહેવા ન્યુઝ નામન...