Posts

Showing posts from January, 2025

લો બોલો :- ભરૂચમાં ન્યાયના મંદિરમાં વકીલોએ જ વકીલોની સામે બાયો ચઢાવી..?

Image
પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ પોતાના માનિતા વકીલોને જ બોલાવીને કામ આપતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત.. વકીલ બાર એસોસિએશનના પ્રમુખ સહિત વકીલ મંડળે ભરૂચ એસપી આઈજી ડીજીપી તથા ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં કરી રજૂઆત  દિનેશ મકવાણા ભરૂચ  ભરૂચ કોર્ટમાં ઘણા આવતા કેસોમાં જે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ તેઓના માનિતા વકીલો ને બોલાવી કામ આપતા હોવાના આક્ષેપ સાથે ઘણા પોલીસ સ્ટેશનના નામ સહિતની ફરિયાદ વકીલ બાર એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં ભરૂચ એસપી ડીજીપી આઈજી તથા ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ રજૂઆત કરતા પોલીસ બેડામાં ખળભળટ મચી ગયો છે ભરૂચમાં વકીલો એ જ વકીલોની સામે બાયો ચઢાવી હોય તેવો મામલો સામે આવ્યો છે જેમાં વકીલ બાર એસોસિએશનના પ્રમુખએ વકીલ મંડળો સાથે ડિસ્ટ્રિક્ટ જજ તથા ભરૂચ એસપી આઈજી અને ડીજીપીને સંબોધીને વિનંતી પત્ર સાથે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે કેટલાક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તેઓના માનીતા વકીલોને જ કામ આપતા હોય અને તેમાં તેમને શું ફાયદો થતો હશે તેવા સવાલ ઉભા કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં કેટલા વકીલોના વકીલાતનામાઓનો ઉપયોગ કરાયો છે અને એક જ વકીલ...

ચૂંટણીએ ચૂંટણીએ પાર્ટી બદલવી અને અપક્ષમાંથી ઉમેદવારી કરનારના સમર્થનમાં કોંગ્રેસનું જ સૂરસૂરિયું

Image
એક એવો કે સૌ પ્રથમવાર એઆઈએમએઈએમ, આપ પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, અને અંતે લોકસભામાં અપક્ષમાંથી ઉમેદવારી..? ભરૂચ  ભરૂચમાં રાજકારણ કરવું હોય તો માન સન્માન હોવું જરૂરી છે પણ માન સન્માન મેળવવા માટે દેખાવા પૂરતા કાર્યક્રમ કરવા કેટલા યોગ્ય આવું ઘણી વખત થતું હશે ભરૂચમાં હાલ રાજકારણમાં પણ કોઈ પાર્ટી જેને ન સાચવે તે અંતે અપક્ષમાંથી ઉમેદવારી કરતા હોય છે અપક્ષ માંથી ઉમેદવારી કરવાથી ફાયદો મતદારોને કે ઉમેદવારને આ પ્રશ્ન આજે પણ લોકો માટે ગંભીર બન્યો છે..? પશ્ચિમ વિસ્તારમાં રિક્ષા એસોસિયેશનના પ્રમુખે ઘણાં પ્રદર્શનનું એલાન કર્યું રીક્ષા ચાલકો તો ન જોડાયા પરંતુ કોંગ્રેસને તોડવાનું કામ કરતી કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા અને લોકો માટે કોંગ્રેસીઓ મનોરંજનરૂપી બની ગયા સામાન્ય રીતે ભરૂચમાં રીક્ષા ચાલકો કેટલા અને પ્રમુખની પડખે કેટલા..? તેનો જીવતો જાગતો નમૂનો રિક્ષા એસોસીએશનના ધરણા પ્રદર્શનમાં જોવા મળી ગયું છે  ભરૂચમાં રીક્ષા એસોસિએશનના પ્રમુખ મરહૂમ અબ્બાસ પેઇન્ટર હતા અને તેમના નિધન બાદ પ્રમુખનો તાજ આબિદભાઈ મિર્ઝા ને પહેરાવ્યો એ કાયદેસર કે ગેરકાયદેસર તેની ચર્ચામાં પડવું નથી..? પણ રીક્ષા ચ...